Tuesday, September 24, 2024

મોરબીના ત્રાજપરમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકને સાત શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી યુવતીના બે ભાઈ સહિતના સાત શખ્સોએ યુવકને લોખંડના પાઈપ અને ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર યુવકના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જૂની નિશાળ સામે રહેતા ગોપાલભાઈએ પ્રેમ લગ્ન કર્યા હોય જે બાબતનો ખાર રાખી યુવકની પત્નીના બે કૌટુંબિક ભાઈ કિશન ભવાનભાઈ ભરવાડ અને ગોપાલ ભવાનભાઈ ભરવાડ સહીત સંજય ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલ ભરવાડ અને ત્રણ અજાણ્યા ઈસમોએ બે રિક્ષાઓમાં યુવકની દુકાને આવી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા જેવા હથિયારોથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે યુવક ગોપાલભાઈના પિતા ચંદુભાઈ જીવાભાઈ ઉઘરેજાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર