મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અનેક પશુ-પક્ષીઓના રેસ્ક્યુ કરી નવજીવન આપવામાં આવે છે. ત્યારે ગત રાત્રે બિલાડીના બચાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ નવજીવન બક્ષ્યું હતું.
મોરબીના જીકીયારી ગામે જુના દરવાજામાં રાત્રે ૧૧ કલાકે એક બિલાડીનું મોઢું ફસાઈ ગયું હતું. જે અંગેની જાણ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોને થતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. બિલાડી કલાકો સુધી ફસાઈ જવાના કારણે ગળાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી. જેથી ગ્રુપના સભ્યોએ ધ્યાન પૂર્વક બિલાડીને દરવાજાની જાળમાંથી બહાર કાઢી મુક્ત કરી હતી. ત્યારે મોરબીમાં ક્યાંય પણ પશુ-પક્ષીઓ ફસાયા હોય તો તાત્કાલિક કર્તવ્ય જીવદયા કેન્દ્રના મો.7574885747 પર સંર્પક કરવા ગ્રુપના સભ્યોએ અનુરોધ કર્યો છે.
બાળકોના શિક્ષણ, પોષણ અને રહેઠાણની સુવિધાઓનું નિરીક્ષણ કરી સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું
મોરબી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર તથા સચિવ ડો.બી.ડી. કાપડીયા દ્વારા મોરબી જિલ્લાનાં બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાળકોની સંખ્યા, વ્યવસ્થાપન તેમના શિક્ષણ તથા સુરક્ષાને...
આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ ૫-૫ બેડ ની વ્યવસ્થા તેમજ ૫ સામુહિક આરોગ્ય કેંન્દ્રો ખાતે ૨ બેડ એમ કુલ ૨૫ બેડ ની વ્યવસ્થા કરેલ છે તેમજ જિલ્લામા આવેલ ૨૫ એમ્બુલન્સોમા લુ લાગવાના કેસોમા સારવાર થઇ...
અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ "પ્રોજેક્ટ અભિમન્યુ"માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટંકારાના લજાઈ ગામે જોગ આશ્રમ ખાતે ગર્ભ સંસ્કાર ભારતીય સંસ્કૃતિ મુજબ...