મોરબી : માળિયા તાલુકાના હરિપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં લકઝરી બસ અને એક છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાના મોત થયા છે.જ્યારે અંદાજીત ૮ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ જેતપુરના પીઠડીયાનો પરિવાર છોટાહાથીમાં કચ્છના કબરાઉ જતો હતો. ત્યારે માળિયા તાલુકાના હરિપર ગામ પાસે સૂરજબારી રોડ ઉપર આજે સવારે રોંગ સાઈડમાં જતા છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છોટાહાથીમાં સવાર ૨ મહીલાના મોત થયા હતા. જેમાં ચંદાબેન વિપુલભાઈ ઉ.વ.૩૦ અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા ઉ.વ.૭૦ રહે. બન્ને પીઠડીયા તા.જેતપુરવાળાના મોત થયા હતા જ્યારે અંદાજીત અન્ય ૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અંગે જાણ થતાં જ ૪ જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.
હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા...
આ ઉત્કર્ષ બ્યુટી પાર્લરના ૨૫/- બહેનોને ઉમા બેન સોમૈયા કે જેઓ ઉમા બ્યુટી પાર્લર ચલાવે છે તેઓએ બ્યુટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને બે માસમાં સંપૂર્ણ બ્યુટી પાર્લર શીખવાડી તૈયાર કરવામાં આવ્યા અને તે અનુસંધાને સર્ટિફિકેટ અને બ્યુટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિમા ગંગા સ્વરૂપ...
મોરબી: મોરબીમા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હંમેશ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં આવતી હોય છે ત્યારે વિકલાંગ વ્યક્તિઓને ચાર વ્હીલચેર વિતરણ કરવામાં આવી હતી.
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી માટે 22મી સપ્ટેમ્બર, 2024 એક મહત્વપૂર્ણ દિવસ હતો કારણ કે તેઓએ વિકલાંગ વ્યક્તિઓને 4 વ્હીલચેરનું વિતરણ કર્યું હતું. આ નિઃસ્વાર્થ કાર્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને...