Sunday, September 22, 2024

મહેન્દ્રનગર ગામના સામાજિક ધાર્મિક કાર્યો માટે અજય લોરીયાએ 1 લાખનું અનુદાન આપ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઈ લોરિયા સેવાકાર્યોમાં હરહંમેશ અગ્રેસર રહેતા હોય છે ત્યારે મહેન્દ્રનગર ગામના પૂર્વ સરપંચની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીમાં અજય લોરિયાએ મહેન્દ્રનગર ગામના વિકાસ કાર્યો માટે રૂપિયા 1 લાખનું અનુદાન આપ્યું હતું.

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના પૂર્વ સરપંચ અને ભાજપ અગ્રણી સ્વ. અશ્વિનભાઈ બોપાલીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય-સામાજીક અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ મહેન્દ્રનગર ગામના સામાજીક અને ધાર્મિક સહિતના વિકાસ કાર્યો માટે રૂપિયા 1 લાખનું અનુદાન આપીને ધન્યતા અનુભવી હતી અને પ્રભુ સ્વ. અશ્વિનભાઈની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર