વોર્ડ નં. સાત ના સદસ્યએ આપેલું ચીફ ઓફિસર ને આવેદનપત્ર સાત દિવસ માં નિરાકરણ નહી તો આંદોલન ની ચીમકી આપી
પચાસ હઝાર ની વસ્તી ધરાવતા હળવદ શહેર ની પાલિકા ભાજપ શાસિત છે વિકાસ ની લાખો રૂપિયા ની ગ્રાન્ટ આવવા છતાં શહેર ના વિવિધ વિસ્તારો આજે રામ ભરોસે છે ત્યારે વોર્ડ સાત માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધાઓ નો અભાવે આજ વિસ્તાર ના ચૂંટાયેલા સદસ્યએ પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવી આ વિસ્તાર ના પ્રશ્ન નું સત્વરે નિરાકરણ લાવવા રજુઆત કરી છે અન્યથા સાત દિવસ માં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હળવદ પાલિકા માં પાછલા ચાર મહિના થી નવા બદલી થઈ આવેલા ચીફ ઓફિસર શહેર ની વિવિધ સમસ્યાઓ ઉકેલવા સાવ નિષ્ફળ ગયા હોય તેમ અવાર નવાર વિવિધ વોર્ડ ના લોકો જુદી જુદી સમસ્યાઓ લઈ ને આવે છે તેમ છતાં પણ સમસ્યાઓ નું કોઈ નિરાકરણ થતું નથી આવા ટાણે શહેર ના વોર્ડ સાત ના ચૂંટાયેલા સદસ્ય દેવાભાઈ ભરવાડે પોતાના મત વિસ્તાર માં પીવાના પાણી સહિત તમામ પાયા ની સુવિધા નો અભાવ હોવાનું જણાવ્યું છે ઉપરાંત આ વિસ્તાર માં પાછલા ઘણા સમય થી સ્ટ્રીટ લાઈટો પણ બંધ પડી છે ઠેર ઠેર ગંદકી ના થર જમ્યા છે ત્યારે આ વિસ્તાર ના ચાર હઝાર રહીશો નું આરોગ્ય જોખમાય છે માટે સત્વરે આ વિસ્તારમાં ની સમસ્યા નું નિરાકરણ સત્વરે લાવવા અંત માં જણાવ્યું હતું જો દિવસ સાત ના આ વિસ્તાર ની તમામ સમસ્યાઓ નું નિરાકરણ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
રવી પરીખ હળવદ
સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.
હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા...
આ ઉત્કર્ષ બ્યુટી પાર્લરના ૨૫/- બહેનોને ઉમા બેન સોમૈયા કે જેઓ ઉમા બ્યુટી પાર્લર ચલાવે છે તેઓએ બ્યુટી પાર્લર ક્લાસમાં આવતા તમામ લાભાર્થી બહેનોને બે માસમાં સંપૂર્ણ બ્યુટી પાર્લર શીખવાડી તૈયાર કરવામાં આવ્યા અને તે અનુસંધાને સર્ટિફિકેટ અને બ્યુટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિમા ગંગા સ્વરૂપ...
મોરબી: મોરબીમા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હંમેશ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવામાં આવતી હોય છે ત્યારે વિકલાંગ વ્યક્તિઓને ચાર વ્હીલચેર વિતરણ કરવામાં આવી હતી.
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી માટે 22મી સપ્ટેમ્બર, 2024 એક મહત્વપૂર્ણ દિવસ હતો કારણ કે તેઓએ વિકલાંગ વ્યક્તિઓને 4 વ્હીલચેરનું વિતરણ કર્યું હતું. આ નિઃસ્વાર્થ કાર્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને...