હળવદ મા છેલ્લા ૬ વર્ષ થી ચાલતી સામાજિક સંસ્થા ની અગ્રેસર સંસ્થા એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રાહત દરે ચોપડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું
જેમાં ૧૦ હજાર જેટલા ચોપડા વિતરણ કરવામાં આવ્યું બે દિવસનો આ કાર્યક્રમ માત્ર બે કલાકમાં પૂર્ણ થયો લોકોની ભારે ભીડને કારણે બે દિવસ માટે જે વેચાણ થવાનું હતું તે બે કલાકમાં જ પૂરું થયું હજુ પણ આગામી સમયમાં વધુ 10000 ચોપડાનું વિતરણ કરવાનું ગ્રુપના સભ્યો નક્કી કરી રહ્યા છે તેવું ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થાની એક અગ્રેસર સંસ્થા કે જે હળવદમાં સમાજને ઉપયોગી બની રહી છે જેનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને જે મોંઘાદાટ શૈક્ષણિક ચોપડા લેવા પડતા હોય તેવા પરીવારો ને રાહત દરે ચોપડા મળે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે તેમજ જે જાહેરાત ની રકમ એકઠી થાય છે જેમાંથી દર વર્ષે ૧૦૦૦ થી વધુ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા
રવિ પરીખ હળવદ
ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ અને શ્રીમદ રાજચન્દ્રજીનુ જન્મ સ્થળ વવાણીયાની પણ અનેક પ્રવાસીઓ લે છે મુલાકાત
દેશ અને દુનિયામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ અને બરફના ગોલાથી સુપ્રસિધ્ધ મોરબી જિલ્લામાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા આવેલ છે. જયા વૈદિક ધર્મનું અભ્યાસ કેન્દ્ર ચાલે છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ...
શ્રી પાલણપીરના મેળા અન્વયે ટ્રાફિક નિયંત્રણ માટે ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન જાહેરનામુ અમલી
મોરબી જિલ્લામાં હડમતીયા ગામે શ્રી પાલણપીર મંદિર ખાતે ભાદરવી વદ નોમ, દશમ અને અગિયારસ એટલે કે તા. ૨૬/૦૯/૨૦૨૪ થી તા.૨૯/૦૯/૨૦૨૪ દરમિયાન મેઘવાળ સમાજ દ્વારા પૌરાણિક મેળો યોજાતો હોય છે. આ મેળામાં અંદાજિત ૫૦૦૦ માણસો એકઠા થઈ...
મોરબી જિલ્લામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા એ જિલ્લાના સુદ્રઢ આંતરમાળખાનું મહત્વનું પરિબળ છે. ત્યારે મોરબી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોને એકબીજા સાથે જોડતા ગ્રામ્ય વિસ્તારના...