Saturday, September 21, 2024

પેપરમીલનાં વિરોધમાં સુંદરગઢનાં ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકામાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ થઇ રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પેપરમીલ બનાવવામાં આવી છે જે પેપરમીલ થી ગ્રામજનોને અતિ દુર્ગંધ સહન કરવી પડતી હોય તેમજ પેપરમીલ ના વેસ્ટ પાણીથી લોકોને ખેતીમાં મા નુકસાન થતું હોવાનું તેમજ નાના બાળકોને તેમજ ગ્રામજનોને ચામડીના રોગ આંખના રોગ જેવા રોગોનો ભયંકર ખતરો સેવાય રહ્યો હોવાની ભીતિ તેમજ ભારે દુર્ગંધથી લોકો ને માથાનો દુખાવો સહન કરવો પડતો હોય છે આવી અનેક સમસ્યાઓને કારણે આજે સમસ્ત સુંદરગઢ ગ્રામજનોએ એકઠા થઈને હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ તારીખ ૧ મે સુધીમાં લોકો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી

આ વેસ્ટ પાણીના કારણે નદીનું પાણી દૂષિત થતું હોય જેના કારણે ખેતીમાં પણ નુકસાન સહન કરવાની ફરજ પડે છે તેમજ આગામી દિવસોમાં જો આમ જ ચાલ્યું તો સમસ્ત ગ્રામજનોએ હિજરત કરવી પડે તેવો ગ્રામજનો નો આક્ષેપ, અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી જો હવે કોઈ નક્કર પરિણામ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર