પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી વિષે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
માળીયા(મી.) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા દ્વારા ટી.બી વિષે જન જાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલેન્સ કામગીરી કરવામાં આવી હતી.તેમજ ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.કોઈ વ્યક્તિમાં ટી.બી.ના લક્ષણ જણાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરી નિ:શુલ્ક સારવાર લેવા મેડિકલ ઓફિસરે લોકોને અપીલ કરી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા પોતાના વિસ્તારનાં ગામોમાં ટીબી વિશે જન જાગૃતિ પત્રિકા વિતરણ અને શંકાસ્પદ ટી.બી કેસ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.જે.ટી.પટેલ માધ્યમિક હાઈસ્કૂલ મોટાભેલામાં ચિત્ર સ્પર્ધા થકી જન જાગૃતિ લાવવામાં આવી હતી.આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ટીબીની સેવાઓ માટેનુ 21 દિવસનું કેમ્પેઈન તા.24 માર્ચ થી 13 એપ્રીલ અંતર્ગત જનજાગૃતિ અને ટીબી શંકાસ્પદ કેસ સર્વેલન્સ કામગીરી ફિલ્ડ સ્ટાફ દ્વારા ચાલુ કરવામાં આવી છે.આ સાથે જન જાગૃતિ થાય એ માટે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા દ્વારા આરોગ્ય શિક્ષણ,સોશિયલ મીડિયા દ્વારા આરોગ્ય પ્રચાર પસાર કરવામાં આવ્યો.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે અને તા.૨૪/૦૪/ ૨૦૨૫ ગુરુવારના રોજ મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરણ ખાતે સવારે ૯-૩૦ વાગ્યાથી...
મોરબી મહાનગરપાલિકા ખાતે વેરો ભરવા માટે આવતા શહેરીજનો સર્વરના ધાંધીયાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પોતાનો કિંમતી સમય કાઢીને વેરો ભરવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્ય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘણા દિવસોથી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. અને વેરો ભરવાનો બાકી હોય તેવા આસામીઓને વેરો ભરી...