ટંકારા ભાજપના આગેવાન ઘેલાભાઈ ફાંગલીયાના ટોળ ગામે શક્તિ માતાજી તથા બ્રહ્માજી માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ક્ષેત્રના રાજકીય સામાજિક તેમજ સંતો મહંતો વગેરે હાજરી આપશે.
ટંકારા તાલુકાના ટોળ ગામે આગામી તા.૨૧ને ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ કલાકે થાંભલી રોપણ, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકે રાવળ દેવ દેવજીભાઈ પનારા, હરેશભાઈ પનારા ડાક ડમ્મરની રમઝટ બોલાવશે. તેમજ તા.૨૨ને શુક્રવારના સવારે ૭:૩૦ કલાકે થાંભલી વધાવવાનું સહિતના માંગલિક કાર્યક્રમો યોજાશે. આ તકે ધર્મપ્રેમી જનતાને પધારવા મેપાભાઈ સવાભાઈ, દેવાભાઈ મેપાભાઈ, ઘેલાભાઈ મેપાભાઈ ફાંગલીયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ચાલો ગાંધીજીને સ્વચ્છાંજલી અર્પણ કરીએ; ઘર શેરી મહોલ્લા સ્વચ્છ બનાવીએ
સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણીઅંતર્ગત મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સામુહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી...
મોરબી: કચ્છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢ દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે મોરબીની લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજે તારીખ 21 સપ્ટેમ્બરને શનિવારથી રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે લજાઈ ગામ સમસ્ત દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને...