ટંકારા : ટંકારા ખાતે આર્ય ઈન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 30 જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.
ટંકારા ગામે આર્ય ઈન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, ટી. ડી. પટેલ અને હેમંતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં ગઈકાલે તા. 01 મે ના રોજ ઉજ્જવલા દિવસના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-2 ની ઉજવણી કરવામાં આવી હત જેમાં ટંકારા તાલુકાના ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતાં અને આ તકે એજન્સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને (સેફ્ટી કલીનિક) સુરક્ષિત ગેસ કનેક્શન અંગે ઉપયોગી જાણકારી આપી હતી.
મોરબી જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કચરાના વ્યવસ્થાપન માટે સેગ્રીગેશન શેડ અને કંપોસ્ટ પીટના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે...
હળવદ નગરપાલિકાના સેવા સેતુમાં વહીવટી તંત્ર દ્વારા અરજદારોની ૧૦૮૫ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો
મોરબીમાં જિલ્લા વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના અનુસંધાને હળવદ ખાતે હળવદ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ વોર્ડના નાગરિકોએ સરકારના વિવિધ વિભાગની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ગત ૨૧ સપ્ટેમ્બર ના રોજ...