મોરબી :આવતીકાલે તારીખ ૨૮ ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષનો ૧૩૮મો સ્થાપના દિવસ છે. ત્યારે કોંગ્રેસ પક્ષે દેશની આઝાદીની લડાઈમાં મહત્ત્વનો ભાગ ભજવેલ. આઝાદી બાદ દેશને સુશાસન આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સુચનાથી મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તા. ૨૮- ૧૨-૨૦૨૨ ને બુધવારે, સવારે ૧૦:૩૦ કલાકે, કોંગ્રેસના ધ્વજ ને સલામી આપવાનાં કાર્યક્રમનું આયોજન કરેલ છે.
તો આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદેદારો, અને કાર્યકરો દ્વારા ધ્વજને સલામી આપવામાં આવશે અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિત પ્રમુખ જયંતી ભાઈ જે પટેલની યાદીમાં જણાવાયું હતુ.