મોરબીના દાનવીર અજય લોરિયા દ્વારા લેમ્પી રોગથી મૃત્યુ પામેલ ગૌવંશ દીઠ એક એક હજારની સહાય અપાશે.
આજરોજ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષ દ્વારા લમ્પી માં મૃત્યુ પામેલ ગૌવંશ માટે સહાયની માગણી કરી હતી. પરંતુ આ સહાય મંજૂર થઈ ન હતી. ત્યારે રાજકારણને પડતું મૂકી અજયભાઈ દ્વારા ગૌવંશ માટે સંવેદશીલતા દર્શાવી હતી. ત્યારે મોરબીના દાનવીર મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા એક એક ગૌવંશ દીઠ એક એક હજારની સહાય આપવાનું જાહેર કર્યું હતું.